અન્ય પ્રાંતના શ્રમિકોને તેમના રાજ્યમાં મોકલવા માટે ગૃહમંત્રાલયની ગાઇડલાઇન મુજબ ટ્રેનનું આયોજન કરાયુ : અશ્વિનીકુમાર
Live TV
-
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે અન્ય પ્રાંતના શ્રમિકોને તેમના રાજ્યમાં મોકલવા માટે ગૃહમંત્રાલયની ગાઇડલાઇન મુજબ ટ્રેનનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત આજે અમદાવાદથી એક ટ્રેન આગ્રા જશે. તો બે ટ્રેન સુરતથી નીકળશે જેમાં એક ટ્રેન ઉત્તર પ્રદેશ જશે અને એક ટ્રેન ઓરિસ્સા જશે. આ માટે શ્રમિકોએ ૧૦૭૭ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.અને ટીકીટનો ખર્ચ જે તે શ્રમિકે ભોગવવાનો રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તમામ લોકોને તેમના રાજ્યમાં મોકલવા માટે કટીબદ્ધ છે અને રજીસ્ટ્રેશન પ્રમાણે તમામને મોકલવામાં આવશે.
