અમદાવાદઃ અમરાઈવાડીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, ત્રણ લોકોના મોત
Live TV
-
તંત્રએ અત્યાર સુધી પાંચ લોકોને બહાર કાઢી લીધા છે. તમામ લોકોને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદના અમરાઈવાડીના જનતાનગર ટોરેન્ટ પાવર પાસે આવેલ બંગલાવાળી ચાલીમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ચાલીમાં આવેલું ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું હતું. આ મકાન ધરાશાયી થતાં તેમાં ફસાયેલા પાંચ લોકોને સલામત બહાર કાઢીને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સહિત તંત્ર ઘટનાસ્થળ પર પહોંચી ગયું હતું.
સ્થાનિક કોર્પોરેટર જસદીશ રાઠોડ સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
