અમદાવાદઃ નવરાત્રિમાં આરતી માટે લેવી પડશે પોલીસની મંજૂરી
Live TV
-
અમદાવાદ પોલીસનું જાહેરનામું - સામાજિક અંતરના તમામ નિયમોનું પણ કરવું પડશે પાલન - માત્ર એક કલાકમાં આરતી કરવી પડશે સંપન્ન.
નવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત છે.જો કે સોસાયટીના લેટરપેડ પર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પરમિશન લેવી પડશે.
સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અરજી કરવી પડશે.જો કે પોલીસ દ્વારા પરમિશન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે સોસાયટીએ એક કલાકના આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન નથી લીધી તેમની સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે.
