અમદાવાદઃ શાહે આલમ દરગાહે લીધો મહત્વનો નિર્ણય
Live TV
-
કોરોનાને લઈ અમદાવાદમાં આવેલી શાહે આલમ દરગાહ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દર વર્ષે સૂફી સંત હઝરત મોહમંદ સિરાજુદ્દીન શાહે આલમના જન્મદિવસે નીકળતું ઝૂલુસ આ વર્ષે નહીં નીકળે. કોરોનાની સાવચેતીના ભાગરૂપે ઝૂલુસ સાથે અન્ય કોઈ પણ કાર્યક્રમો નહીં કરવાનો દરગાહ ટ્રસ્ટે નિર્ણય કર્યો છે.
દરગાહે જન્મદિવસ માત્ર સદાઈથી ઉજવવાનું નક્કી કરાયું છે. દરગાહના ખાદીમ સુબ્બાખાન પઠાણે જણાવ્યું કે દર વર્ષે નીકળતુ ઝુલૂસ કોમી એક્તાનું પ્રતિક કહેવાય છે. જેમાં હજારોની સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો દર્શનાર્થે આવે છે. ત્યારે આ વખતે ભીડભાડ ન થાય અને કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તમામ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે.
