અમદાવાદઃ સમરસ હોસ્ટેલ ખાતે પોઝિટીવ દર્દીઓનો આયુર્વેદિક ઉપચાર શરૂ
Live TV
-
સમરસ હોસ્ટેલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર શરૂ કરવામાં આવી છે. કોરોનાની બીમારીને નાથવા સમગ્ર તંત્ર કટિબદ્ધ થઈને કાર્ય કરી રહ્યું છે.
કોરોના ના લક્ષણ ન ધરાવતા હોય તેવા કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલ ખાતે સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવની આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર શરૂ કર્યો છે.
વૈઘ ભવના પટેલે જણાવ્યું છે કે આયુર્વેદિક પદ્ધતિના ઉપચારને વૈશ્વિક માન્યતા મળી છે. તથા વાઇરસ જન્ય રોગોમા પ્રિવેન્શન કામગીરીમાં પણ સારા પરિણામ મળી રહ્યા છે ત્યારે લક્ષણ ન ધરાવતા કોરોના પોઝિટિવમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ એટલું જ જરૂરી છે ત્યારે અમદાવાદ શહેરની કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલમાં કોરોનાના લક્ષણ ન ધરાવતા પરંતુ પોઝિટિવ દર્દી તરીકે સારવાર લઈ રહેલા વ્યક્તિઓને આજથી આયુર્વેદિક પદ્ધતિથી પણ ઉપચાર શરૂ કરાયો છે.
જેમા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ હેમંત જોશીના નેતૃત્વમાં બે મેડિકલ ઓફિસર આયુર્વેદ તથા પાંચ પીજી સ્કોલર સ્ટુડન્ટની ટીમ દ્વારા પ્રાથમિક ધોરણે ઉક્ત કામગીરી ચાલુ કરેલ છે
