ગુજરાતઃ છેલ્લા 24 કલાકમાં 191 કેસ નોંધાયા, 15ના મોત
Live TV
-
રાજ્યમાં પોઝિટિવ લોકોની સારવાર માટે પ્લાઝમા થેરાપીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ લોકોને અપીલ કરી છે કે લોકો સારવાર લેવામાં મોડું ના કરે.
રાજ્યમાં કોરોના સંક્રમણના છેલ્લા 24 કલામાં 191 કેસ નોધાયા છે, જેમાથી 15 લોકોના મોત અને 7 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 169, સૂરતમાં 6 વડોદરામાં 5 આણંદમાં 3 ગાંધીનગર 1, ભાવનગર 2, બોટાદ 1, પંચમહાલ 3 અને વલસાડમાં 1 એ પ્રમાણે કેસ નોધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 43822 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમા 2815 પોઝિટિવ કેસ થયા છે.
ગુજરાતમાં આજે 15 લોકોના મોત થયા છે જેમાથી 14 લોકો અમદાવાદ અને 1 સૂરતમાં છે. અમદાવાદ 67 મહિલા 59 વર્ષ મહિલા 70 વર્ષ પુરૂષ, 60 વર્ષ પુરુષ, 58 વર્ષ પુરુષ, 17 વર્ષ મહિલા, 59 વર્ષ પુરુષ, 90 વર્ષ મહિલા, 65 પુરુષ, 63 વર્ષ પુરુષ, 72 વર્ષ મહિલા અને સૂરતના 53 વર્ષના મહિલા છે.
