અમદાવાદના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી
Live TV
-
અમદાવાદના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું. ઈસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને મટકી ફોડના વિવિધ કાર્યક્રમોથી જન્મોત્સવની ઉજવણી કરવાની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. આજે મંગળા આરતી થઈ હતી. ભગવાનના જન્મોત્સવની ઉજવણી માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે. મંદિરમાં ભક્તો દ્વારા મોહનથાળ, લાડુ સહિતના મહાપ્રસાદ બનાવવામાં આવી રહ્યું છે. આ સાથે ભગવાન કૃષ્ણ અને રાધાનો ભવ્ય શણગાર પણ કરાયો હતો. દરવર્ષની જેમ આ વર્ષે પણ ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી માટે દૂર-દૂરથી ભકતો આવ્યા છે અને ભગવાનનું પારણું ઝુલાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે સેવામાં લાગી ગયા છે.
