અમદાવાદના નિકોલ ખાતે એક ત્રણ દિવસીય શહીદ કથા અને ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું
Live TV
-
શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરના નિકોલ ખાતે એક ત્રણ દિવસીય શહીદ કથા અને ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શહીદ કથામાં યુવાનોમાં દેશ ભાવ જગાડવા અને સંરક્ષણ ક્ષેત્રે કારકીર્દી ઘડી દેશ સેવામાં જોડાવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. અને સાથે સાથે દેશ માટે કુર્બાની આપનારા શહીદ પરિવારોનું માનભેર સન્માન કરી તેમની શહીદી પ્રત્યે શહેરીજનોએ કુતજ્ઞતા વ્યક્ત કરી હતી. દેશ ભાવ અને શહીદોનાં માનમાં યુવાનો દ્વારા શહેરનાં અનેક વિસ્તારોમાંથી ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે શહેરમાં ફરી શહીદ કથા સ્થળે સભાના રૂપમાં મળી હતી.
