અમદાવાદના બાવળામાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપની 2 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ
Live TV
-
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી 2 દિવસ માટે બાવળા ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવા માટે રણનીતિ ઘડવામાં આવશે. આ ચિંતન શિબિર અંગે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ માહિતી આપી હતી. પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ચિંતન શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે. આ ચિંતન શિબિરમાં અમિત શાહ, ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ કોષાધ્યક્ષ સુધીર ગુપ્તા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
