અમદાવાદને દિવાળી પર ભેટ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ
Live TV
-
જનસભાને કર્યું સંબોધન
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના બોપલ ખાતે મહાનગર પાલિકા અને ઔડા દ્વારા નિર્મિત, અંદાજીત 800 કરોડના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, NDA સરકારે લોકોને પાયાની સુવિધાઓ પુરી પાડી છે. આ ઉપરાંત વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, જે લોકોએ 70 વર્ષ સુધી દેશમાં શાસન કર્યું તેઓ દેશવાસીઓને પાયાની સુવિધા આપી શક્યા ન હતા. આ ઉપરાંત મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં વિશ્વના વિકસીત શહેરોમાં ગુજરાતના શહેરોની ગણના થાય તે માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે.
