અમદાવાદન બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ માટે ક્વોરન્ટીમ રૂમ
Live TV
-
સંક્રમણનો ભોગ બનનાર પોલીસ કર્મીઓ માટે 3 બેડની વ્યવસ્થા, રૂમ સાથે કેન્ટીન અને લાઈબ્રેરીની સુવિધા
અત્યારે આખો દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ત્યારે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મીઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશન પરિસરમાં, કોરોના સંક્રમિત પોલીસ કર્મીઓ માટે ક્વોરન્ટીન રૂમ બનાવાયો છે. જ્યાં સંક્રમિત પોલીસ કર્મી ક્વોરન્ટીન થઈ શકશે. ક્વોન્ટીન રૂમ સાથે કેન્ટીન અને લાઈબ્રેરી પણ છે. પોલીસ સ્ટેશનના ઉપરના માળે આ ક્વોરન્ટીન રૂમનું નિર્માણ કરાયું છે, જેમાં સંક્રમણનો ભોગ બનનાર પોલીસ કર્મીઓ માટે 3 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
