દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 4 ધનવંતરી રથ દ્વારા લોકોના આરોગ્યનું પરિક્ષણ
Live TV
-
આરોગ્ય કર્મીઓ દરરોજ સવારે 9 થી 1 અને બપોરે 2 થી 4 વાગ્યા સુધી ઘરે-ઘરે જઇને લોકોનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરી રહ્યા છે
દેવભૂમિ દ્વારકાના જુદા-જુદા વિસ્તારોમાં ધનવંતરી રથ દ્વારા લોકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દ્વારકાના અલગ-અલગ તાલુકામાં ચાર ધનવંતરી રથ મોકલવામાં આવ્યા હતા. આ રથનાં આરોગ્ય કર્મીઓ દરરોજ સવારે 9 થી 1 અને બપોરે 2 થી 4 વાગ્યા સુધી ઘરે-ઘરે જઇને લોકોનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરી રહ્યા છે. સાથે કોરોનાના લક્ષણો ધરાવતા લોકોની રેપિડ ટેસ્ટિંગ કરી જરૂરીયાતમંદોને દવા પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત દ્વારકા આવતા પ્રવાસીઓ, વેપારીઓ , તેમજ સ્થાનિકોના કોરોનાના ટેસ્ટ સાથે ઉકાળાની પણ વ્યવસ્થા કરાઈ હતી.
