અમદાવાદમાં ઓમ ધ્યોઃ શાંતિઃ નામે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Live TV
-
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી જ પર્યાવરણના સંરક્ષણની મહત્તા માનવજીવન સાથે જોડાયેલી છે. ત્યારે ભારતીય વેદશાસ્ત્રના આ જીવનમંત્રને જન જન સુધી પહોંચાડવાના હેતુથી અમદાવાદમાં ઓમ ધ્યોઃ શાંતિઃ નામે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી જ પર્યાવરણના સંરક્ષણની મહત્તા માનવજીવન સાથે જોડાયેલી છે. ત્યારે ભારતીય વેદશાસ્ત્રના આ જીવનમંત્રને જન જન સુધી પહોંચાડવાના હેતુથી અમદાવાદમાં ઓમ ધ્યોઃ શાંતિઃ નામે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહીને લોકોને પ્રકૃતિના જતન માટે આગળ આવવા અપીલ કરી હતી. હાલ વિશ્વભરમાં પર્યાવરણ સામે ખતરો ઊભો થયો છે ત્યારે ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ વિજ્ઞાનમાં તેના જતન માટે પહેલાંથી જ ઉલ્લેખ કરેલ છે. ત્યારે લોકો ધર્મ વિજ્ઞાનના માધ્યમથી પ્રકૃતિનાં સંવર્ધન માટે આગળ આવે તે આજના સમયની જરૂરીયાત છે તેમ સાધ્વી અદિતી ભારતીએ જણાવ્યું હતું.
