અમદાવાદમાં ખાદી ગ્રામોદ્યોગ ભવન અને ખાદી મ્યુઝિયમનો CMના હસ્તે શિલાન્યાસ
Live TV
-
અમદાવાદમાં રૂ. ૧૯ કરોડના ખર્ચે નિર્માણ થનારા ખાદી ગ્રામોદ્યોગ ભવન અને ખાદી મ્યુઝિયમનો મુખ્ય મંત્રીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગાંધી એ વ્યક્તિ નહીં, વિચાર છે. સત્ય, અહિંસા, સ્વાવલંબન જેવા એમના વિચારો આજના સમયમાં અંત્યત પ્રસ્તુત છે. વધુમાં તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ ગાંધી, સરદાર સહિત અનેક વિરલ વિભૂતિઓનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં ખાદી વણાટના ગ્રામીણ પરિવારોને પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે અંબર ચરખા સહિતની જે સહાય આપી છે તેની ભૂમિકા આપી હતી. આ પ્રસંગે અમદાવાદના સાંસદ ડૉ. કિરીટભાઇ સોલંકી, અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલ, ધારાસભ્યો વલ્લ્ભભાઇ કાકડિયા, ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
