Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં જૈન શાસન વંદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • જૈન શાસનના 2,578 મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદમાં "જૈન શાસન વંદના યાત્રા" નુ આયોજન કરવામાં આવ્યું હતું. જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા આયોજિત આ યાત્રા શહેરના મેમનગર, સોલા અને ભૂયંગદેવ સહિતના વિસ્તારોમાં ફરી હતી. જૈન શાસનમાં આજના દિવસે ગૌતમ સ્વામી સાથે 4, 400 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી.  

    આ પવિત્ર દિવસની યાદમાં વિવિધ જૈન સંઘો દ્વારા જૈન શાસન સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ અંગે ગચ્છાધિપતિ આચાર્ય રાજ યસ સૂરિજી મહારાજે જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના ઉપદેશોને પ્રત્યેક વ્યક્તિ જીવનમાં અનુસરે છે, એ આજના સમયમાં વિશ્વ શાંતિ માટે ખૂબ મહત્વનુ છે.   

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply