અમદાવાદમાં નવા 143 કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 1272 દર્દી : જયંતિ રવિ
Live TV
-
88 લોકો સાજા થતાં તેમને અપાઇ રજા
કોરોના વાયરસનું સંકટ સમગ્ર વિશ્વમાં ઘેરાયું છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 13 હજારને પાર થઇ ગઇ છે ત્યારે ગુજરાતની વર્તમાન સ્થિતિને લઇને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં નવા 176 કેસ નોંધાયા છે. તો આ સાથે જ 7 લોકોના કોરોનાનાથી મોત થતાં રાજ્યમાં મોતનો કુલ આંકડો 48 પર પહોંચ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં 143, વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2,ભાવનગરમાં 2, આણંદમાં 1, ભરૂચમાં 1,પંચમહાલમાં પણ વધુ 1 કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓને સંખ્યા 1272 થઇ છે. તો 88 લોકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
