રાજ્ય સરકારનો નિર્ણય, કોવિડ-૧૯ અંતર્ગત ડેઝીગ્નેટેડ હોસ્પિટલોમાં વિના મુલ્યે અપાશે સારવાર
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કચેરીઓ નિયંત્રિત સ્ટાફ અને કોરોના વાયરસ સંક્રમણ સામે પુરતા તકેદારીના ઉપાયો સાથે 20 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને કોવિડ-19 અંતર્ગત ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર વિનામૂલ્યે અપાશે, તો કોવિડ-19ના ચેપ નિયંત્રણ કામગીરી સાથે, સીધા સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓ, કલેક્ટર તંત્ર, પોલીસ, ઈલેક્ટ્રીસિટી સાથે જોડાયેલ કચેરીઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે.
