અમદાવાદમાં પુસ્તક વિમોચન કાર્યક્રમ ઉજવાયો, સાહિત્ય રસિકો અને લેખકો રહ્યા ઉપસ્થિત
Live TV
-
અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે આવેલી ઓરિએન્ટલ ક્લબ ખાતે સાહિત્યકાર અને લેખિકા અનુરાધા દેરાસરીના પુસ્તકોનો વિમોચન સમારોહ યોજાયો હતો. આ પુસ્તકોમાં " મારૂ પ્રથમ પગલું " ભાગ 1 અને ભાગ 2 તથા "વામા વૃક્ષોના પ્રેરણા પુષ્પો " ભાગ 1 અને ભાગ 2 નુ વિમોચન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર અને લેખક દેવેન્દ્ર પટેલ, કટાર લેખક ભવેન કચ્છી, અમદાવાદ મિરર અને નવગુજરાત સમયના ગૃપ એડિટર અજય ઉમટ, તેમજ કવિ તુષાર શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અનુરાધા દેરાસરીને સમાજ માટે પ્રેરણારૂપ પુસ્તકો લખવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
