અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2018નો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ.
Live TV
-
રાજ્યભરમાં આદ્યશક્તિ મા અંબેના નવલા નોરતાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ 2016નો પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યભરમાં અનેકો જગ્યાએ વિવિધ પ્રકારના ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ એટલે નવ રાત સુધી મા અંબાની સ્તુતિ કરવાનો તહેવાર. વાઈબ્રન્ટ નવરાત્રિમાં પહેલા દિવસે પણ ભીડ જોવા મળી હતી અને ખૈલેયાઓથી મેદાન રંગબેરંગી થઈ ગયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી.
