અમદાવાદમાં સ્થિત ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયો 65મો પદવીદાન સમારોહ
Live TV
-
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઈલાબેન ભટ્ટે પોતાના વકત્વયમાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભર, સ્વાવલંબી થઈ ભારતના એક પરિપકવ નાગિક તરીકે સમાજ વચ્ચે જીવન વિતાવવા પર ભાર મૂક્યો હતો.
અમદાવાદમાં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠમાં 65મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. પ્રકાશ આપ્ટે ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપ્યું હતું. આ પદવીદાન સમારંભમાં 32 પીએચડી, 23 એમફીલ, 393 અનુસ્નાતક ની ડીગ્રીઓ કુલપતિ ઈલાબેન પટેલ તેમજ મુખ્ય અતિથિ ડૉ. પ્રકાશ આપ્ટે દ્વારા એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે કુલનાયક અનામિક શાહે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. સમારંભમાં કુલપતિ ઈલાબેન ભટ્ટે તેમના વકત્વયમાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભર, સ્વાવલંબી થઈ ભારતના એક પરિપકવ નાગિક તરીકે સમાજ વચ્ચે જીવન વિતાવવા પર ભાર મૂક્યો હતો.
