અમદાવાદમાં 411 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું
Live TV
-
વિકાસ કાર્યોમાં નાણા-પૈસાની કોઈ સમસ્યા કે કચાસ સરકાર રહેવા દેશે નહીં: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ મહાનગરને 411 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તની ભેટ આપી હતી અને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મહાનગરોના વિકાસ કાર્યોમાં નાણા-પૈસાની કોઈ સમસ્યા કે કચાસ સરકાર રહેવા દેશે નહીં. નગરોના સત્તાતંત્ર વાહકો વિકાસ આયોજનો લઈને આવે. આપણે આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને જ્યાં માનવી ત્યાં સુવિધાનો મંત્ર પાર પાડીશું. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારી તિજોરીના પ્રજાના પૈસા પર કોઈનો પંજો પડવા દિધો નથી
