અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલના કાર્યાલયનું CM રૂપાણીએ કર્યું ઉદ્દઘાટન
Live TV
-
રવિવારે અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના બાપુનગર મધ્યસ્થ કાર્યાલયનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું ઉદ્ધાટન - મુખ્યમંત્રી રૂપાણીએ જંગી જાહેર સભા સંબોધી કોંગ્રેસ પર પરિવારવાદનો આક્ષેપ કરી રાષ્ટ્રની સુરક્ષા માટે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા કર્યો અનુરોધ.
જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ચૂંટણી પ્રચાર પણ જોરશોર થી થઈ રહ્યો છૅ અમદાવાદમાં ગઈકાલે અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના બાપુનગર મધ્યસ્થ કાર્યાલયનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉદ્દઘાટન કર્યું હતું.
ત્યારબાદ જાહેરસભાને સંબોધતાં કોંગ્રેસ પર પરિવારવાદનો આક્ષેપ કર્યો હતો. રાષ્ટ્રની સુરક્ષા માટે તેમણે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કયો હતો.
