ભાવનગરમાં એક માસમાં વધુ એક અપહરણની ઘટના
Live TV
-
શાકભાજીના વેપારીના દીકરાનું અપહરણ કરી રૂપિયા એક કરોડની ખંડણી
ભાવનગરમાં શાકભાજીનો વેપાર કરતા એક વેપારીના 14 વર્ષના દીકરાનું અપહરણ કરી ,રૂપિયા એક કરોડની ખંડણી અપહરણકારે માંગી હતી. પાંચ સગીરો તથા ચાર પુખ્ત વયના પુરૂષોએ અપહરણ કર્યા બાદ ,પોલીસની સતર્કતાથી સમગ્ર ટુકડીને ,પોલીસે પકડી પાડી હતી. ભાવનગરમાં માત્ર એક જ મહિનામાં અપહરણની બીજી ઘટના બનતા ,પોલીસ વિભાગ વધુ સતર્ક થઈ ગઈ છે.રસાલા કેમ્પ પાસેથી શાકભાજીના વેપારી વિજયભાઈ ગુરુમુખદાસના 14 વર્ષના પુત્ર ચિરાગને એક મિત્રે ઘરે મૂકી જવા માટે કહ્યું હતું. પરંતુ ટુકડીએ ઈક્કો કારમાં ચિરાગનું અપહરણ કરી એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે વિવિધ ટુકડીઓ બનાવી સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ અપહરણ કેસમાં કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે.
