અમદાવાદ-મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઓઢવમાં જડેશ્વર વનનું ઉદ્ઘાટન
Live TV
-
'ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત'' વન મહોત્સવની ઉજવણી
'ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત'' અંતર્ગત રાજ્યના વન વિભાગ દ્વારા ૭૦મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઊજવણી આગામી આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કરાશે.એ.એમ.સી.એમ., વસ્ત્રાલ ડેપો, આદિનાથનગર પાસે ઓઢવ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે યોજાનાર સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે '' જડેશ્વર વન '' નું લોકાર્પણ કરાશે. તેમજ મહાનુભાવોના હસ્તે ચેકવિતરણ સમારોહ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.આ પ્રસંગે વન મંત્રી ગણપતસિંહ વસાવા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્ય વન મંત્રી રમણલાલ પાટકર, અમદાવાદના મેયર બિજલબેન પટેલ સહિત સાંસદો, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
આ જડેશ્વર વન અને તેની ખાસીયત
વી.આઈ.પી પ્લાનટેશનસુંદર તળાવ
- સેલ્ફી પોઈન્ટ
- ઓપન થિયેટર
- દોડવા તેમજ ચાલવા માટેના અલગ અલગ ટ્રેક*
- ઓપન જીમ
- નાના ભૂલકાઓ માટે રમતો ના સાધનો
- ધ્યાન કરવા માટે અલગ થી સુંદર વ્યવસ્થા
- યોગા કેન્દ્ર
- ઝૂલતો પુલ
- ગજીબો
- ઝાકળ વન
- નાસ્તા હાઉસ
- શીતળ જળ
