અમદાવાદ: વિશ્વ પર્યાવરણ દિને 'મિશન 5 મિલિયન ટ્રી'નો પ્રારંભ, મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ
Live TV
-
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ચાંદખેડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 'મિશન 5 મિલિયન ટ્રી' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત AMC દ્વારા નાગરિકોને ઘરે બેઠા વૃક્ષારોપણની સુવિધા પૂરી પાડવામાં આવશે. રસ ધરાવતા નાગરિકો 'AMC સેવા એપ' પર રજીસ્ટ્રેશન કરાવીને વિનામૂલ્યે રોપા મંગાવી શકશે.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ શહેરમાં હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે 'મોબાઈલ સોર્સ અપોર્શનમેન્ટ લેબોરેટરી' વાનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય અલ્પેશ પટેલ, અમિત શાહ, હસમુખ પટેલ, મેયર, મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
