અમરેલીઃ જાફરાબાદ વિસ્તારના માછીમાર આગેવાનોએ માછીમારીનો સમય ઘટાડવા સરકારને કરી અપીલ
Live TV
-
અમરેલીઃ જાફરાબાદ વિસ્તારના માછીમાર આગેવાનોએ માછીમારીનો સમય ઘટાડવા સરકારને કરી અપીલ
અમદાવાદના સાયન્સ સીટી ખાતે ગ્લોબલ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું આયોજન કરવામાં આવેલુ છે. જેમાં સ્ટેટ ફીસ ઓફ ગુજરાત તરીકે ઘોલ માછલીની જાહેર કરાઈ હતી. કુદરતી સંપત્તિ અને જીવ સૃષ્ટિથી ભરેલા આપણા ગુજરાતના દરિયામાં એક એવી ઘોલ માછલી છે જેની કિંમત ખૂબ વધુ છે. ઘોલ નામની માછલીનું મીટ અને વાયુ કોથળી બહુંજ કિંમતી ગણાય છે તેનો ઉપીયોગ દવા બનાવવામાં કરવામાં આવે છે. આ માછલી જેમ જેમ મોટી થાય એમ એમ તેની કિંમત વધતી જાય છે. જેથી અમરેલીના જાફરાબાદ વિસ્તારના માછીમાર આગેવાનોનું કહેવુ છે કે માછીમારીનો સમય 9 માસ છે જો તે ઘટાડવામાં આવે તો માછલીના બચ્ચાનો ઉછેર સારી રીતે અને સારા પ્રમાણમાં થઈ શકે છે.
