સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસ શામળાજી મહોત્સવનું આયોજન
Live TV
-
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસ શામળાજી મહોત્સવનું આયોજન
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસ શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લીના શામળાજીમાં બિરાજમાન કાળિયા ઠાકોરના આંગણે લોકલાડીલા કિર્તીદાન ગઢવી અને અનિરૂધ્ધ આહીર પોતાની આગવી સંગીત કળાથી શામળાજી મહોત્સવની ઉજવણીમાં સાથ આપશે. શામળાજીમાં દરવર્ષે સંગીત અને ભક્તિનો સમન્વય સમો મહોત્સવ ઉજવાય છે. આજે એટલે કે, 2 અને 3 ડિસેમ્બર 2023 બે દિવસ માટે શામળાજી મહોત્સવની ઉજવણીમાં જોડાવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
