અમરેલીમાં કારનો દરવાજો લોક થઇ જતાં 4 બાળકોના ગૂંગળામણથી મોત
Live TV
-
અમરેલીના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારમાં ગાડીમાં 4 બાળકોના ગૂંગળામણના કારણે મૃત્યુ થવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 2 નવેમ્બરનો દિવસ અમરેલીના પરિવાર માટે કાળ બનીને આવ્યો. અમરેલીના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારમાં કારમાં 4 બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન કારનો દરવાજો લોક થઇ જતાં એક જ પરિવારના 4 બાળકોના ગુંગળામણના લીધે મોતને ભેટ્યા હતા. આ બનાવ બન્યો તે સમયે માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા. આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલ અકસ્માતનો ગુનો નોંધાયો છે.
