અમરેલી: જાફરાબાદના મિતીયાળા ગામે બંધારાના નિર્માણ માટે મંજૂરી
Live TV
-
મખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરેલીના જાફરાબાદ તાલુકાના મિતીયાળા ગામે બંધારાના નિર્માણ માટે મંજુરી આપી
મખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે અમરેલીના જાફરાબાદ તાલુકાના મિતીયાળા ગામે , બંધારાના નિર્માણ માટે મંજુરી આપી છે. અમરેલીના ચાર ગામ મિતીયાળા, લુણસા પુર, વાઢં , અને કાગવદરને , આ બંધારાને પરિણામે , 93.50 મિલીયન ક્યુબિક ફીટ , સિંચાઇનું પાણી મળતું થશે. ઊલ્લેખનીય છે, કે મિતીયાળા બંધારા માટે , લોકોની છેલ્લા ઘણાં સમયથી માંગ હતી. જેનો પ્રતિસાદ આપતા વિજય રૂપાણીએ , 8 કરોડની યોજનાને , મંજુરી આપી છે. આ મિતીયાળા બંધારાના કારણે , જાફરાબાદ અમરેલીના આ ગામોમાં , દરીયાઇ ખારાશ , આગળ વધતી અટકશે. એટલું જ નહિ, ખેડૂતોને 500 હેક્ટર વિસ્તારમાં સિંચાઇ માટે , પુરતુ પાણી મળી રહેતા , ખેત ઊત્પાદનમાં પણ વધારો થશે.
