અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો,રાજુલા પંથકમાં હળવાથી ભારે વરસાદ
Live TV
-
અમરેલી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા રાજુલા પંથકમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગની આગાહી બાદ આજે અમરેલી જિલ્લામાં વરસાદ થતાં ગ્રામજનોને ગરમીમાં તો રાહત મળી હતી પરંતુ કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચવાથી ખેડૂતો ચિંતીત હતા. હવામાન વિભાગે વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી કરી હતી. જેના લીધે જાફરાબાદ બંદરે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોની 200થી વધુ બોટ કાંઠે લાવવામાં આવી હતી. વરસાદ થતાં વિસ્તારમાં વીજળી પણ ગુલ થઇ ગઈ હતી. વહીવટી તંત્ર અને મત્સગઉદ્યોગ વિભાગ પણ એલર્ટ છે.
