આકાશવાણી અને દૂરદર્શનના નિવૃત્ત સંનિષ્ઠ અધિકારી પી. એમ. વૈષ્ણવનું ગઇકાલે સુરત ખાતે અવસાન થયું
Live TV
-
આકાશવાણી અને દૂરદર્શનના નિવૃત્ત સંનિષ્ઠ અધિકારી પી. એમ. વૈષ્ણવનું ગઇકાલે સુરત ખાતે અવસાન થયું છે તેઓ ઘણા સમયથી બીમાર હતા, તેમની વય 87 વર્ષની હતી. સ્વર્ગથ પી.એમ. વૈષ્ણવે આકાશવાણી અમદાવાદમાં ડ્યૂટી ઓફિસર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને 1993માં સેવાનિવૃત્ત થયા હતા. તેઓએ 39 વર્ષની લાંબી કારકિર્દીમાં આકાશવાણી અમદાવાદ, રાજકોટ, ભુજ અને બીકાનેરમાં સેવાઓ આપી હતી.
પી. એમ. વૈષ્ણવ દૂરદર્શન રાજકોટના કેન્દ્ર નિયામકપદેથી નિવૃત્ત થયા હતા. તેમણે પોંડીચેરી અરવિંદ આશ્રમના શ્રી અરવિંદ અને શ્રીમાતાજીનાં ઘણા પુસ્તકોનો ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો હતો.
