આગામી બજેટમાં ગુજરાતને વધુ ગ્રાન્ટ ફાળવવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મુક્યો ભાર
Live TV
-
કેન્દ્ર સરકારના આગામી બજેટ સંદર્ભે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન ,અને રાજ્ય નાણા મંત્રી ,શ્રી અનુરાગ ઠાકુર દ્વારા ,ગઈકાલે દિલ્હી ખાતે આયોજીત ,રાજ્ય ના, નાણા મંત્રીઓ ની બેઠક માં ,ગુજરાત ના નાણા મંત્રી ,અને નાયબ મુખ્યમંત્રી ,નીતિન ભાઇ પટેલે , ઉપસ્થિત રહીને રાજ્ય ની વિકાસ યાત્રા, વધુ સુદ્રઢ બને ,તે માટે ,ધાર દાર રજુઆતો અને સૂચનો કર્યા હતાં.
કેન્દ્ર સરકારના આગામી બજેટ સંદર્ભે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન ,અને રાજ્ય નાણા મંત્રી ,શ્રી અનુરાગ ઠાકુર દ્વારા ,ગઈકાલે દિલ્હી ખાતે આયોજીત ,રાજ્ય ના, નાણા મંત્રીઓ ની બેઠક માં ,ગુજરાત ના નાણા મંત્રી ,અને નાયબ મુખ્યમંત્રી ,નીતિન ભાઇ પટેલે , ઉપસ્થિત રહીને રાજ્ય ની વિકાસ યાત્રા, વધુ સુદ્રઢ બને ,તે માટે ,ધાર દાર રજુઆતો અને સૂચનો કર્યા હતાં. તેમણે શ્રેષ્ઠ નાણાંકીય શિસ્ત ધરાવતા ગુજરાત ને, વધુ પ્રોત્સાહન આપવા ,વધુ ગ્રાન્ટ ફાળવવા પર ભાર મુક્યો હતો. તેમણે ઉમેર્યુ ,કે, ગુજરાત રાજ્ય ,એ આર્થિક શિસ્ત ધરાવતું પ્રગતિશીલ રાજ્ય છે ,જેમાં છેલ્લા ,૨૦ વર્ષ થી ,કોઇપણ વાર ,ઓવરડ્રાફ્ટ ,રાજ્ય સરકાર ને લેવો પડ્યો નથી ,કે ,ટૂંકી મુદ્દત ની ,લોન પણ ,લેવી પડી નથી. નાયબ મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યુ ,કે, ખેડૂતો ના હિત માં ,પ્રધાનમંત્રી પાક વિમા યોજના ,સરળ બનાવવી જોઇએ ,અને જે ખેડૂતો ,પાક વીમો લેવા માંગતા હોય, તેને જ ,લાભાર્થી બનાવવા જોઇએ. પાક વીમા યોજના ,ફરજીયાત ન હોવી જોઇએ ,એવી પણ માંગણી ,નાયબ મુખ્યમંત્રી ,શ્રી નીતિનભાઇ પટેલે ,કરી હતી.
