શાંતિ, સલામતી અને સુરક્ષા રાજ્ય સરકારની પ્રાથમિકતા: ગૃહ રાજય અને જેલમંત્રી
Live TV
-
ગૃહ રાજ્ય અને જેલમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. તેમણે સાબરમતી જેલની મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જેલમાં રાષ્ટ્રીય શાયર, ઝવેરચંદ મેઘાણી અને રવિશંકર મહારાજને જેલમાં જે જગ્યાએ રાખવામાં આવ્યા હતા
ગૃહ રાજ્ય અને જેલમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. તેમણે સાબરમતી જેલની મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જેલમાં રાષ્ટ્રીય શાયર, ઝવેરચંદ મેઘાણી અને રવિશંકર મહારાજને જેલમાં જે જગ્યાએ રાખવામાં આવ્યા હતા, તે કારાવાસ ઓરડાનું સ્મૃતિ કુટીર તરીકે લોકાર્પણ કર્યું હતું. આ જેલમાં ગાંધીજી, સરદાર પટેલ અને બાળ ગંગાધર તિલકની પણ સ્મૃતિ કુટીર આવેલી છે. ગૃહ રાજ્યમંત્રીએ જેલમાં બેકરી, ટેક્સટાઈલ, હેન્ડલુમ વિભાગની મુલાકાત લઈ કામ કરતા કેદીઓને આધુનિક પ્રશિક્ષણ આપવા આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. સાથે સાથે જેલ સુધારણા માટે જેલ સુપ્રીન્ટેડન્ટને સુચના પણ આપી હતી
