આગામી 17મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન
Live TV
-
આગામી 17મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન
સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. આગામી 17મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવશે. આ ઉદઘાટન કાર્યક્રમમાં 25 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માડવીયા, જ્યોતિઆદિત્યનાથ સિંધિયા, પુરષોત્તમ રૂપાલા, નિર્મલા સીતારમન સહિતના મંત્રીઓ અને ધારાસભ્ય ઉપસ્થિત રહેશે. સુરતને બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તેવી શકયતા સેવાઈ રહી છે.
