આજથી 31 ઓક્ટોબર સુધી ખાદીની ખરીદીમાં 20 ટકાનું મળશે વળતર
Live TV
-
રાજ્યમાં આજથી 31 ઓક્ટોબર સુધી ખાદીની ખરીદીમાં 20 ટકાનું વળતર મળશે.ખાદીનો વ્યાપ જજ સુધી વિસ્તરે અને લોકો તેની ખરીદી માટે પ્રેરિત થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધી જયંતિના દિવસે આ જાહેરાત કરી હતી.ખાદી વસ્ત્રના ઉદ્યોગમાં હજારો પરિવારો જોડાયેલા છે.વણાટકામથી તેમની આજીવિકા ચાલે છે.ત્યારે આ પરિવારોને ફાયદો થાય અને તેમના જીવનમાં આર્થિક બદલાવ આવે તેવા વિચાર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીજી ઓક્ટોબરે ખાદીમાં 20 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી.
