આજે બાળ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથિ
Live TV
-
આજે સમગ્ર દેશમાં બાળ ગંગાધર તિલકની 100 મી પુણ્યતિથિ મનાવવામાં આવી રહી છે. આ અવસરે ખાસ ''લોકમાન્ય તિલક સ્વરાજ થી આત્મનિર્ભર ભારત'' વિષય અંતર્ગત આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે લોકમાન્ય તિલકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, લોકમાન્ય તિલકના ઉપદેશ તેમના વિચારો અને દેશ માટે આપેલું તેમનું યોગદાન તેમના દેશ પ્રેમને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેમનું માનવું હતું કે, દેશ જ્યારે ગુલામી સાંકળોમાં બંધાયેલો હોય ત્યારે ભક્તિ અને મોક્ષ નહીં પરંતુ કર્મયોગની જરૂર પડે છે.
