આજે વિશ્વ ચકલી દિવસ, ઠેરઠેર જાગૃતિના કાર્યક્રમો યોજાયા
Live TV
-
૨૦મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. થોડા વર્ષો અગાઉ મનુષ્યના ઘરમાં વસવાટ કરતી ચકલી આજે માનવીથી દુર જતી રહી છે અને લુપ્તતાના આરે પહોચી છે.
નાશ પામતા દેશી ઢબના મકાનો તેમજ વ્રુક્ષોનુ નિકંદન નાનકડી ચકલી માટે ઘાતક સાબિત થઇ રહ્યું છે, ત્યારે આ ચકલીઓને બચાવવા માટે એક અભિયાનમાં ભાવનગર માળનાથ ગ્રુપ ના હરિભાઈ શાહ સહિતના અનેક લોકો જોડાયા છે.
આ લોકો દ્વારા ચકલીઓને બચાવવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે .લુપ્ત થતી ચકલીઓ ને બચાવવા માટે માળા-કુંડા નું ખાસ વિતરણ કરી ને લોકોને પોતાના ઘરો માં ફરી ચકલીઓ વસવાટ કરે તે બાબતે પ્રેરિત કરી રહ્યા છે
