આણંદના ખંભાત ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરોડોના વિવિધ વિકાસ કામોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત કર્યું
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખંભાત નગર પાલિકા દ્વારા નિર્મિત રૂ.15.78 કરોડના ઉપરાંતનાં વિવિધ વિકાસ કામોનું લોકાપર્ણ-ખાત મુહૂર્ત કરાયું
આણંદના ખંભાત ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખંભાત નગર પાલિકા દ્વારા નિર્મિત રૂ.15.78 કરોડના ઉપરાંતનાં વિવિધ વિકાસ કામોનું લોકાપર્ણ-ખાત મુહૂર્ત કરાયું હતું. આણંદ જિલ્લાની ઐતિહાસિક નગરી તરીકે ગણાતા ખંભાત નગરના નગર જનોએ ખંભાત નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ અને આકાર લઈ રહેલા સુવિધા યુકત પ્રોજેકટોનું લોકાપર્ણ અને માદળા તળાવ ના બ્યુટીફિકેશન ના તેમજ આજીવિકા કેન્દ્ર નાં કામ નું ખાત મુહૂર્ત મુખ્યપ્રધાન રૂપાણી ના હસ્તે કરવા માં આવ્યું. આ ઉપરાંત નગર પાલિકા દ્વારા ખંભાત ના નગર જનો માટે ના ખૂબ ઉપયોગી એવા વિવિધ સુવિધા યુકત પ્રોજેકટો જેવાકે સામાજિક સેવાઓ સંકુલ માં પ્રસૂતિ દવાખાનું લગ્ન સમારોહ માટે બે હૉલ ધર્મશાળા ફેરિયાઓ માટે રાત્રિ રોકાણ અને કેન્ટીન વેપાર-ધંધા ને પ્રોત્સાહન આપવા શોપીંગ સેન્ટર આધુનિક સ્વિમિંગ પૂલ પુસ્તકાલય ફાયર બ્રિગેડ સ્ટેશન રીનોવેશન સી.સી.ટી.વી. કેમેરા એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટો શાક માર્કેટ તેમજ આકાર પામનાર આજીવિકા કેન્દ્ર નું મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી ના હસ્તે લોકાપર્ણ-ખાત મુહૂર્ત કરવા માં આવ્યું. ત્યાર પછી મુખ્ય મંત્રીએ વિશાળ જન સભા ને સંબોધન કર્યું હતું
