આણંદના ખેડૂત પુત્રએ કરી 501 દીવડા ઉપાડીને આરતી
Live TV
-
અડગ મન ને હિમાલય નડતો નથી. ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો સમન્વય થાય ત્યાં માનવીની તમામ ઈચ્છા ફળીભૂત થાય છે. આણંદના લીંગડા ગામના ખેડૂત પુત્ર રોહિત પટેલ જે પોતે ખેતી વાડી વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2 વર્ષ અગાઉ પોતાની ખેતી વાડી સારી થાય તે માટે માતાજીના ચોકમાં 501 દીવડા ઉપાડીને આરતી કરવાની માનતા લીધી હતી. આ માનતા પૂર્ણ કરીને માતાજીની કૃપાથી ખેતી વાડી ખુબ સારી થઇ હતી. તેઓ છેલ્લા 16 વર્ષથી 551 દીવડાની આરતી પોતાના શરીર પર લઇ મા અંબાની અનોખી આરાધના કરે છે.
