આણંદમાં ઇન્સ્ટટિયુટ ઓફ રૂરલ મેનેજેમેન્ટનો ૩૮મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો
Live TV
-
આ સમારોહમાં મુખ્ય મહેમાન પદે કેરળના આઇએએમના પૂર્વ મુખ્ય સચિવ એસ.એમ.વિજયાનંદે હાજર રહી દિક્ષાંત પ્રવચન આપ્યુ હતુ. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રૂરલ મેનેજેમેન્ટ અને ફેલો પ્રોગ્રામ ઇન રૂરલ મેનેજમેન્ટ્ની પદવી આપવામા આવી.
આણંદમાં આવેલ એન.ડી.ડી.બીના ત્રિભુવનદાસ પટેલ ઓડીટોરીયમ ખાતે ઇન્સ્ટટિયુટ ઓફ રૂરલ મેનેજેમેન્ટનો ૩૮મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો.
આ સમારોહમાં મુખ્ય મહેમાન પદે કેરળના આઇએએમના પૂર્વ મુખ્ય સચિવ એસ.એમ.વિજયાનંદે હાજર રહી દિક્ષાંત પ્રવચન આપ્યુ હતુ. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રૂરલ મેનેજેમેન્ટ અને ફેલો પ્રોગ્રામ ઇન રૂરલ મેનેજમેન્ટ્ની પદવી આપવામા આવી.
આ સાથે ચાલુ વર્ષે ઉતીર્ણ થયેલ ૩૮મી બેચમા પ્રથમ આવનાર વિદ્યાર્થીને ઇરમા દ્વારા વાસન્તી મેમોરીયલ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામા આવ્યો.
આ કાર્યક્રમમાં ઇરમાના ચેરમેન દીલીપ રથ, જી.સી.એમ.એમ.એફ ના એમ.ડી આર.એસ.સોઢી, અમ્રુતાબેન પટેલ, તેમજ વ્યવસ્થાપક મંડળના સભ્યો, પ્રાધ્યાપક ગણ સાથે મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.
