આણંદમાં ગમખ્વાર અકસ્માત
Live TV
-
ગંભીરા ગામ પાસે ટેન્કર અને પિકઅપ વાન ટકરાતાં દસ નાં ઘટનાસ્થળે મૃત્યુ
આણંદના ગંભીરા રોડ પર ટ્રક અને પીકપવાન વચ્ચે અકશ્માતમાં નવ યુવાનો ના મોત થયા છે તેઓ નોકરી પરથી ઘર તરફ પરત આવતા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત થયો હતો. આ તમામ યુવાનો ગાજણા,બિલોડર અને સારોલના વતનીઓ હતા. ત્રણ ગામના નવથી વધારે યુવાનોનાં મોતથી તેઓના પરિવારજનો શોકાતુર બન્યા હતા. આ ઘટનાથી જિલ્લાના મહત્ત્વના તમામ લોકો આંકલાવ હૉસ્પીટલ ખાતે હાજર હતા. તેમાં સંસદ દિલીપ પટેલ, ભરતસિહ સોલંકી, મિતેષ પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ સાથે કલેક્ટર અને એસ.પી. સાહેબ તમામ વ્યવસ્થામાં સહકાર આપી રહ્યા હતા. છેલ્લી માહિતી મુજબ મોતનો આંકડો અગિયાર સુધી પહોંચ્યો છે. દરમિયાન મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ આ અકસ્માતમાં પ્રત્યેક મૃતકોના વારસદારોને રૂપિયા 2 લાખની સહાય મુખ્ય પ્રધાન રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી હતી. અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ઈજાગ્રસ્તોને પણ સહાય કરવાની સૂચના કલેકટરને આપવામાં આવી છે.
