આણંદમાં જનજાગૃતિ અર્થે હેલ્ધી હાર્ટ વોકેથોનનું આયોજન
Live TV
-
આણંદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલનું કાર્ડિયાક સેન્ટર દર્દીઓના હૃદયની સંભાળ નથી લેતું પણ હૃદયરોગ અને સ્વસ્થ જીવનશૈલી વિશે જનજાગૃતિ ફેલાવવાનું કામ પણ કરે છે. ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરના દશમા સ્થાપના દિને હેલ્થી હાર્ટ વોકથોનનું પણ આયોજન થયું હતું.
કાર્ડિયાક સેન્ટરમાં હૃદયની સારવાર લઈ ચૂકેલા દર્દીઓ સહિત સંખ્યાબંધ લોકોએ હાર્ટવોકથોનમાં ભાગ લીધો હતો. હૃદયરોગના દર્દી પણ સારવાર પછી સામાન્ય જીવન વ્યતિત કરી શકે છે તેનો સંદેશો વહેતો થયો હતો.
દસમા સ્થાપના દિવસ ઉપલક્ષ્યમાં આઠથી 20 ઓક્ટોબર દરમિયાન 50 ટકાના રાહત દરે કાર્ડિયાક હેલ્થ ચેકઅપ પેકેજની પણ જાહેરાત થઈ છે. વોકાથોન દરમિયાન આ પેકેજીસ હેઠળ સારવાર લેવા દર્દીઓની નોંધણી પણ થઈ હતી.
