આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજનમાં હવેથી આખા ચણાનો સમાવેશ
Live TV
-
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ઉપલબ્ધ આખા ચણાના જથ્થાને મધ્યાહન ભોજન યોજના માટે તબદીલ કરવામાં આવ્યા છે.
આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને મધ્યાહન ભોજનમાં હવેથી આખા ચણા આપવામાં આવશે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ઉપલબ્ધ આખા ચણાના જથ્થાને મધ્યાહન ભોજન યોજના માટે તબદીલ કરવામાં આવ્યા છે.
ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ પોષણ યોજના દ્વારા આણંદ જિલ્લામાં બાલવાટિકા સહિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુસર આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લાની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં હવેથી આખા ચણા આપવામાં આવશે. જેથી બાળકોને પ્રોટીન નિયત પ્રમાણમાં મળી રહે અને બાળકોને આપવામાં આવતો પોષણયુક્ત આહારના કારણે બાળકોના વિકાસમાં કોઈ અડચણ ન આવે. આ હેતુથી પ્રાથમિક શાળાના બાળકોને આખા ચણા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.
