આણંદ લોકસભા બેઠકના ધર્મજ-8 પર યોજાયુ ફેરમતદાન
Live TV
-
આણંદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૧૧૪ સોજીત્રા વિધાનસભા બેઠક ના ધર્મજ -૮ મતદાન મથક ખાતે ગઇકાલે ફેર મતદાન યોજાયું હતું. 894 મતદારો ધરાવતા આ મતદાન મથકે અગાઉ તા.૨૩/૪/૨૦૧૯ ના રોજ મતદાન થયું હતું. જેને ભારત ચૂંટણી પંચ દ્વારા રદ જાહેર કરી ફેર મતદાન માટે આદેશ કર્યો હતો. ગઇકાલે યોજાયેલ મતદાનમાં તમામ મતદારોએ સવારના સાત વાગ્યાથી શાંતિ પૂર્વક મતદાન શરૂ કર્યું હતું. બપોર સુધીમાં મતદાન ૭૦ ટકા સુધી પહોંચી ગયું હતું. જે આગળ વધી ને ૬ વાગ્યા સુધીમાં ૭૮.૮ ટકાએ પહોંચી ગયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપ રાણા એ મતદારો સારી રીતે મતદાન કરી શકે તે માટે પૂરતી કાળજી લઈ વ્યવસ્થા ગોઠવી હતી. પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો હતો.
