આણંદ સ્થિત નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા મોરનું રેસક્યુ,અપાઈ યોગ્ય સારવાર
Live TV
-
અનેક સામાજીક સંસ્થાઓ હવે મુંગા પશુ પક્ષીઓને બચાવવા આગળ આવી રહી છે. ત્યારે આણંદ સ્થિત નેચર હેલ્પ ફાઉન્ડેશન પણ છેલ્લા આઠ વર્ષથી અનેક વન્ય પ્રાણીઓને બચાવીને તેમના પુનઃવસનનું કામ કરી રહી છે. થોડાક સમય પહેલાં જ આણંદની બાજુના એક ગામમાં એક મોર રોડ પર વાહન સાથે અથડાતા તેને ઈજા થઈ હતી. આ મોર બંને પગે ઘાયલ થયો હતો. આ સંસ્થાએ આ મોરનું રેસક્યુ કરીને તેને યોગ્ય સારવાર આપી છે. અને થોડાક જ સમયમાં મોરને જે તે વિસ્તારમાં છોડવામાં આવશે.
