આતંકી હુમલાની દહેશતને પગલે રાજસ્થાન સાથે જોડાયેલી બોર્ડર પર એલર્ટ
Live TV
-
અમીરગઢ, રતનપુર સરહદે બુલેટપ્રુફ જેકેટ અને આધુનિક શસ્ત્રો સાથે સુરક્ષાકર્મી તૈનાત-આંતરરાજ્ય સરહદે બેરીકેડ લગાવાઈ-સઘન ચેકિંગ બાદ જ વાહનોનો ગુજરાતમાં પ્રવેશ.
ગુજરાતમાં આતંકી હુમલાની દહેશતને પગલે રાજસ્થાન-ગુજરાતને જોડતી સરહદ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાની સરહદો પર બુલેટપ્રુફ જેકેટ સાથે પોલીસને તૈનાત કરવામાં આવી છે.અમીરગઢ અને રતનપુર બોર્ડરની ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાતમાં તહેવારો દરમિયાન આતંકી હુમલો થઈ શકે છે તેવા ઈન્ટેલિજન્સ બ્યુરોએ ઈનપુટ આપતા ગુજરાત પોલીસ એલર્ટ બની ગઈ છે. રાજ્ય પોલીસ વડાએ આદેશ આપતા રાજસ્થાન સાથે જોડાયેલી આંતરરાજ્ય સરહદો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. રતનપુર બોર્ડર પર SRP જવાનોની પ્લાટુન સહિત 48 પોલીસના જવાનોને તેનાત કરી દેવામાં આવ્યો છે.
