આરોગ્ય મંત્રીએ વિસનગર ખાતે 50 પથારીની નવીન સરકારી આયુર્વેદિક હોસ્પિટલના બાંધકામનું ભૂમિપૂજન કર્યું
Live TV
-
વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિસનગર ખાતે ૫૦ પથારીની નવીન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બાંધકામનું આજે ભૂમિપૂજન કર્યું હતું. વર્ષ 2023-24ના બજેટમાં વિસનગર ખાતે નવીન આયુર્વેદ હોસ્પિટલ માટે જોગવાઇ કરવામાં આવી હતી જેનું આજે મંત્રી ઋષિકેશ પટેલેના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. 50 બેડની નિર્માણ પામનારા આ આયુર્વેદ હોસ્પિટલ અત્યાધુનિક સેવા-સુવિધાઓથી સજ્જ બનશે.
વિસનગર ખાતેની આયુર્વેદિક હોસ્પિટલ પ્રજાજનોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે તેમ મંત્રી ઋષિકેશ પટેલ એ આ પ્રસંગે જણાવ્યું હતું. ઋષિકેશ પટેલે વિસનગર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે નવીન ડિજિટલ એક્સરે મશીનનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં સમર્પિત કર્યું હતું.
₹.13.40 લાખના ખર્ચે વિકસાવેલુ ડિજીટલ એક્સ-રે મશીન ઝડપી નિદાનમાં લાભદાયક નિવડશે. અત્રે ઉલ્લેખનીય છે કે,વિસનગર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મહિને અંદાજીત જેટલા એક્સ રે થાય છે.
