ઈદ-ઉલ- અજહાના પર્વ નિમિત્તે રાજ્યમાં થઈ ઉજવણી
Live TV
-
આજે ગુજરાત સહિત દેશભરમાં પૂરા હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહી છે "ઈદ-ઉલ-અઝહા" - રાજ્યમાં સ્થિતિ સામાન્ય- વહીવટી તંત્રએ કહ્યું, જરૂરી ચીજવસ્તુઓની નથી કોઈ કમી - જમ્મુ કશ્મીરમાં રજાના દિવસે પણ ખુલ્લી રહેશે બૅન્કો- લોકોને પોતાના સગા સંબંધીઓ સાથે વાતચીત કરવા માટે ઊભા કરાયા લગભગ 300થી વધુ નવા ટેલિફોન બૂથ.
1.. અરવલ્લી- અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ઈદ-ઉલ- અજહાનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો- હઝરત ઈબ્રાહિમ આલેહિસ્લામની કુરબાનીની યાદમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી - માલપુર રોડ પર આવેલ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી દેશમાં અમન અને શાંતિ માટે કરી દુઆ..
2.. જૂનાગઢ- જૂનાગઢની પુરાતન અને ઐતિહાસિક જુમા મસ્જિદ ખાતે ઈદની નમાન અદા કરાઈ- કાજી અલી મહોમ્મદ રહેમાન દ્વારા મુસ્લિમ બિરદારોને ધર્મ સંદેશ અપાયો- એકબીજાને ઈદના મુબારક પાઠવી દેશમાં શાંતિ બની રહે તે માટે મુસ્લિમોએ કરી દુઆ..
3.. વડોદરા- વડોદરામાં પણ ઈદ-ઉલ અજહાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી- શહેરમાં ઈદગાહ મેદાનમાં ભૂલકાઓથી માંડી યુવાનો અને મોટેરાઓએ શાંતિ અને અમનની કામના સાથે ઈદની નમાઝ પઢી અને એકબીજાને ઈદની શુભકામના પાઠવીયય
4.. દ્વારકા- આ તરફ દ્વારકા જિલ્લાનાં મુખ્ય મથક ખંભાળિયામાં પણ બકરી ઈદની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી- સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદની નમાજ અદા કરી - રાજ્યમાં સર્જાયેલી કુદરતી આફતમાંથી લોકો જલ્દી બહાર આવે તેવી દુઆ કરી....
