ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર સાથે કરી મુલાકાત
Live TV
-
ઊર્જા મંત્રીના નેતૃત્વ હેઠળ બિહાર પ્રવાસે ગયેલા પ્રતિનિધિ મંડળે બિહારમાં વસતા ગુજરાતી સમાજના પરિવારો સાથે પણ બેઠક યોજી પ્રતિમા નિહાળવા આવવાનું આમંત્રણ આપ્યું
ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર સાથે આજે મુલાકાત કરી હતી. તેમજ તેમને ગુજરાતમાં નિર્માણ થયેલી સરદાર સાહેબની વિરાટ પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નિહાળવા આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. ઊર્જા મંત્રીના નેતૃત્વ હેઠળ બિહાર પ્રવાસે ગયેલા પ્રતિનિધિ મંડળે બિહારમાં વસતા ગુજરાતી સમાજના પરિવારો સાથે પણ બેઠક યોજી તેમને સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી ૧૮ર મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સરદાર જ્યંતિએ લોકાર્પણ ઐતિહાસિક દિવસ બની રહેશે તેની પણ ભુમિકા આપી હતી અને આ પ્રતિમા નિહાળવા આવવાનું આમંત્રણ આપ્યું હતું.
