કંડલા પોર્ટની મુલાકાત પહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની મહત્વની જાહેરાત
Live TV
-
હજારો લીઝ ધારકોની લાંબાગાળાની માગણી સંતોષવામાં આવી
કંડલા પોર્ટની મુલાકાત પહેલા કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે દીનદયાળ પોર્ટ અને ગાંધીધામ ટાઉનશીપના હજારો લીઝ ધારકોની લાંબાગાળાની માંગણી સંતોષવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે લીઝ ધારકો વાજબી ટ્રાન્સફર ફી ભરીને લીઝ ટ્રાન્સફર કરાવી શકે તે હેતુસર ભારત સરકારના શીંપીગ મંત્રાલય દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી ઉંચા દરે લીઝ ટ્રાન્સફર ફી ભરવી પડતી હતી. પરંતુ નિયમોમાં ફેરફાર થતા સામાન્ય ફી ભરીને હવે લીઝ ટ્રાન્સફર થઈ શકશે
